Saturday, October 2, 2010

અંધારાને ભેદીને હું...

અંધારાને ભેદીને હું પ્રકાશને મળવા પ્રયત્ન કરતો હતો.મારા અનેક પ્રયત્નો છતા તે મળ્યો નહીં.
"અંધારાને ભેદવાથી પ્રકાશ કદી મળતો નથી.પ્રકાશ આવે તો જ અંધકાર દૂર થાય."નિદ્રામાં સ્વપ્નદેવીએ હસીને મને કહ્યું.
"કઇ રીતે પ્રકાશ આવે?"મારાથી પૂછાઇ ગયું.
એ મને અચંબામાં મૂકીને અનુત્તર ચાલી ગઇ.
મેં પ્રકાશને પામવાની ઇચ્છા,પ્રયત્નો છોડી દીધા.
સ્થિર થઇ એક જગ્યાએ બેસી ગયો.એક દિવસ મેં જોયું કે પ્રકાશ મારી ચોપાસ મુક્ત મને હસી રહ્યો હતો.